હાલ રાજસ્થાનના ઉદયપુરમાં અસામાજિક તત્વો દ્વારા દરજી વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી છે જેના કારણે રાજસ્થાનમાં હાલ ભારે તંગદિલી છવાઈ છે આજે રાજસ્થાન બંધનું એલાન આપેલું છે ત્યારે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતી એસટી શામળાજી રતનપુર સુધી જ જાય છે. રાજ્યની તમામ બસો શામળાજી બસ સ્ટેન્ડ પર રોકી દેવાઈ. ST બસો બંધ કરાતાં હજારો મુસાફરો અટવાયા